Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

સી-પ્લેન સર્વિસનું સુરસુરીયું: ૭૫ દિવસ બાદ સી-પ્લેન માલદિવથી પરત નહીં ફરતા નિરાશા

મુલાકાતીઓ માટે કેવડિયા ખુલ્યુ પણ સી-પ્લેન સેવા બંધ

અમદાવાદથી કેવડિયા વચ્ચે સી-પ્લેનની શઆત તો કરવામાં આવી. પરંતુ મેંટેનસં માટે નવ એપ્રિલે માલદીવ ગયેલ સી-પ્લેન હજુ પણ પરત ન આવતા સી-પ્લેન સર્વિસનું સુરસુરીયુ થયુ હોય તેમ લાગી રહ્યું છે. મુલાકાતીઓ માટે કેવડિયા ખુલ્યુ પણ સી-પ્લેન સેવા બધં છે. દેશમાં પ્રથમવાર અમદાવાદ સાબરમતી રિવરફ્રંટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી એક નવેમ્બર ૨૦૨૦થી સી-પ્લેન સફર કરાઈ હતી.

સી-પ્લેનના મેંટેનંસનની પૂર્ણ સુવિધા અમદાવાદમાં ન હોવાથી તેને દર એક દોઢ મહિને મેંટેનસં માટે માલદીવ મોકલાય છે. લાઈંગ અવર પૂરા થતા લાઈટ ઓપરેટર સ્પાઈસ જેટે નવ એપ્રિલે સી-પ્લેનને માલદીવ મોકલ્યુ હતુ. હાલ રાયમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા મુલાકાતીઓ માટે કેવડિયા ખોલી દેવાયું છે. છતા સી-પ્લેન ૭૫ દિવસે પણ પરત નથી આવ્યુ. હવે કોરોના કેસ ઘટવા છતા હજુ સુધી સી-પ્લેનનું સંચાલન કયારથી શ કરવુ તેનો કોઈ નિર્ણય લેવાયો નથી તેવુ એયરલાઈંસે જણાવ્યું છે.

સરદાર પટેલની જન્મ જયંતિ ૩૧મી ઓકટોબર, ૨૦૨૦ના રોજ વડાપ્રધાને દેશના પ્રથમ પેસેન્જર સી- પ્લેન સેવાની શઆત કરાવી હતી. પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ પહેલી સફર માણી હતી. ૫૦ વર્ષ જૂનું રજિસ્ટ્રેશન નંબર ૮ચ-ઈંજઈ ધરાવતું આ સી- પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાને તેની શઆત કરાવી હતી

(12:33 pm IST)