Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

હવેથી રાજયમાં રવિવારે પણ તમામ સેન્ટરો પર વેક્સિન આપવામાં આવશે: વેપાર ધંધા સાથે સંકળાયેલા માલિકો અને કર્મચારીઓ માટે વેકસીન ફરજીયાત : નીતિનભાઈ પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વેક્સિનેશનને લઈ આજે  જણાવ્યું છે કે, વેપારીઓ માટે ગૃહ વિભાગ તરફથી એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રાજયમાં વેપાર ધંધા સાથે સંકળાયેલા માલિકો અને કર્મચારીઓને આગામી ૩૧ જુલાઈ સુધી વેક્સિન લેવી ફરજિયાત છે. રવિવારના રોજ વેક્સિનેશન સેન્ટર બંધ રાખવામાં આવ્યા હતા પરતું હવેથી રાજયમાં રવિવારે પણ તમામ સેન્ટરો પર વેક્સિન આપવામાં આવશે તેવું નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે.

(6:02 pm IST)