Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

અમદાવાદના પોપ્યુલર ગ્રુપના માલીક અને જાણીતા દાનવીર

અમૃતલાલ પટેલનું ૮૫ વર્ષની વયે દુઃખદ નિધન

રાજકોટઃ અમદાવાદમાં પોપ્યુલર ગ્રુપથી જાણીતા આગેવાન અને  મોટા દાતાશ્રી અમૃતલાલ ભોળીદાસ પટેલ (ઉ.વ.૮૫)નું તા.૨૩ને શુક્રવારના રોજ અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયેલ છે.

પોપ્યુલર ગ્રુપથી જાણીતા શ્રી અમૃતલાલ ભોળીદાસ પટેલ અમદાવાદમાં બાંધકામ-જમીનના વ્યવસાયમાં અગ્રીમ હરોળમાં આવતા તેઓ અમદાવાદમાં દાનવીર દાતા તરીકે પણ અગ્રીમ સ્થાન ધરાવતા હતા. તેમના પરિવારમાં વિરેન્દ્રભાઇ પટેલ પણ બાંધકામના વ્યવસાય સાથે અગ્રીમ હરોળમાં ખ્યાતી ધરાવે છે.

કોરોનાની બીજી લહેરમાં તેમને કોરોના થયેલો બાદમાં સારવાર મેળવીને બહાર આવી ગયેલા હતા છતાં છેલ્લા ઘણા સમયથી કોઇ બિમારીને લીધે હોસ્પિટલાઇઝ હતા. લાંબી બિમારી બાદ આજરોજ તેમનું નિધન થયું છે.

(10:49 am IST)