Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા શ્રાદ્ધ નિમિત્તે મજૂરીયાત વર્ગને ગરમ ગરમ નાસ્તો આપવામાં આવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન,રાજપીપળા છેલ્લા ચાર વર્ષથી નિયમિત રીતે દરીદ્ર નારાયણો ને ભોજન કરાવે છે એ જ પરંપરાને આગળ વધારીને આજરોજ એલ.આઇ. સી ના અધિકારી સ્વ.જે ડી પટેલના શ્રાધ્ધ નિમિત્તે તેમના ધર્મ પત્ની મમતાબેન તરફથી ભજીયાનું વિતરણ કરવામાં આવ્યુ હતું . આ માટેનું સર્વ આયોજન શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશને કર્યું હતું .સવારે સફેદ ટાવરે ૨૦૦ જેટલા મજુરોને ગરમાગરમ ભજીયા અને ચટણીનું વિતરણ કર્યું હતું.આ સેવકાર્યમાં ડૉ. કલ્પેશ મહાજન, બિપિન વ્યાસ, અજીતભાઇ પરીખ,સ્વીટીબેન માલી અને મુકેશભાઈ વસાવા જોડાયા હતા.

(10:15 pm IST)