Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

વીજ કર્મચારીઓ - ઇજનેરોનું આંદોલન મોકૂફ : એમડી સાથે મંત્રણા સફળ : મોટાભાગની માંગણી સ્વીકારાઇ

રાજકોટ તા. ૨૩ : ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિએ અનેક પડતર પ્રશ્નો અંગે ૨૭મીથી રાજ્યવ્યાપી આંદોલનનું એલાન આપ્યું હતું અને ૫મી ઓકટોબરે હડતાલનું એલાન આપી આંદોલન આપી જાહેરાત કરી તે અંગે પીજીવીસીએલના એમડી - મેનેજમેન્ટને નોટીસ ફટકારી હતી.

દરમિયાન એમડીશ્રી ધીમંતકુમાર વ્યાસની સૂચના બાદ એચઆર, ફાયનાન્સ અને ટેકનિકલ વિભાગે નોટીસમાં અપાયેલ મુદ્દાઓ અંગે ઝડપી નિર્ણય લઇ મોટાભાગના કેડરોના પ્રમોશનો અને વિનંતીથી બદલીઓ સત્વરે કરી હકારાત્મક નિર્ણય લેતા આંદોલનનો અંત આવ્યો છે.

યુનિયન આગેવાનો સર્વશ્રી બી.એમ.શાહ, બી.એસ.પટેલ, એમ.એલ.દેશાણી, સી.બી.રાઠોડ તથા ડી.એમ.સાવલીયાએ એમડીને પત્ર પાઠવી આભાર વ્યકત કરી એજીવિકાસ સંઘ અને જીબીઆએ આંદોલનના અંતની જાહેરાત કરી છે.

(11:40 am IST)