Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો :નવા 125 કેસ નોંધાયા:વધુ 149 દર્દીઓ સાજા થયા:આજે બે દર્દીનું મૃત્યુ થયું :મૃત્યુઆંક 11.031 થયો :કુલ 12.61.982 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 1.38.399 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 1023 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 125 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 149 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,61.982 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી બે દર્દીનું મૃત્યુ થયું છે,તાપીમાં એક અને જામનગર કોર્પોરેશનમાં એક મળીને આજે કુલ બે દર્દ્દીઓના મૃત્યુ થયા છે, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,031 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.05 છે

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 1.38.399 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,63.94.286 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 1023 એક્ટિવ કેસ છે.જેમાંથી 3 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1020 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 125 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 30 કેસ,સુરત કોર્પોરેશનમાં 26 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 14 કેસ, બનાસકાંઠામાં 8 કેસ, વલસાડમાં 7 કેસ, ગાંધીનગર અને સુરતમાં 6-6 કેસ, કચ્છમાં 5 કેસ,મહેસાણા અને રાજકોટ કોર્પોરેશનમાં 4-4 કેસ, પાટણમાં 3 કેસ, નવસારી, સાબરકાંઠા અને તાપીમાં 2-2 કેસ, અરવલ્લી, ભરૂચ, દેવભૂમિ દ્વારકા,ગાંધીનગર કોર્પોરેશન,જામનગર કોર્પોરેશન અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:08 pm IST)