Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

અમદાવાદમાં કોરોનાના 17 કેસ સહીત રાજ્યમાં નવા 36 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 25 દર્દીઓ સાજા થયા:આજે નવસારીમાં એક દર્દીનું મૃત્યુ :કુલ મૃત્યુઆંક 10.092 :કુલ 8.16.856 લોકોએ કોરોનાને મ્હાત કર્યો : આજે વધુ 5.10.849 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 17 કેસ, વડોદરામાં 6 કેસ, નવસારી, જામનગર અને સુરતમાં 3-3 કેસ, રાજકોટમાં 2 કેસ, ગીર સોમનાથ અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 319 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 36 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 25 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 36 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 25 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.16.856 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં નવસારીમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.092 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 5.10.849 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 7.79.84.129 રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 319 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 લોકો વેન્ટિલેટર પર અને 313  લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.16.856 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે ,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.092 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 36 કેસમાં અમદાવાદમાં 17 કેસ, વડોદરામાં 6 કેસ, નવસારી, જામનગર  અને સુરતમાં 3-3 કેસ, રાજકોટમાં 2 કેસ, ગીર સોમનાથ અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો છે

(7:36 pm IST)