Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

વડાપ્રધાન મોદી, મહેસાણા, દાહોદ, વડોદરા અને  ભાવનગરમાં ગજવશે ચૂંટણી સભા: તડામાર તૈયારી

 બપોરે એક વાગ્યે મહેસાણામાં,3 વાગ્યે દાહોદમાં , 5.30 વાગ્યે પીએમ મોદી વડોદરામાં નવલખી ગ્રાઉન્ડ ખાતે અને સાંજે 7.30 વાગ્યે ભાવનગરમાં ચૂંટણી સભા સંબોધશે.

અમદાવાદ ; ગુજરાતના ચૂંટણી રણમાં ફરી પીએમ મોદી પ્રચાર માટે આવશે. ગુજરાત ચૂંટણીમાં પ્રચારની કમાન પીએમ મોદીએ તેમના હાથમાં લીધી છે અને ભાજપને જીતાડવા માટે તમામ તાકાત લગાવી રહ્યા છે.  

  બુધવારે ફરી પીએમ મોદી ગુજરાતના ચાર જિલ્લાઓમાં ચૂંટણી સભા સંબોધવાના છે. જેમા બપોરે એક વાગ્યે તેઓ મહેસાણામાં સભા સંબોધશે, ત્યારબાદ 3 વાગ્યે તેઓ દાહોદમાં સભા ગજવશે. 5.30 વાગ્યે પીએમ  મોદી વડોદરામાં નવલખી ગ્રાઉન્ડ ખાતે જંગી જનસભાને સંબોધિત કરશે અને છેલ્લે સાંજે 7.30 વાગ્યે તેઓ ભાવનગરમાં ચૂંટણી સભા સંબોધશે.

(10:28 pm IST)