Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ગુજરાતની જનતાએ હવે 27 વર્ષ જૂની ચક્કીને જડમૂળથી ઉખેડી નાખવી જોઈએ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને નવસારી, આહવા અને ઉધનામાં રોડ શો કર્યો

અમદાવાદ :  આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે નવસારી, આહવા અને ઉધનામાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે ગુજરાતને ડબલ એન્જિન નહીં વિકાસ કરનાર એન્જિનની જરૂર છે બીજી તરફ તેમણે કહ્યુ, અચ્છે દિનની તો ખબર નથી પરંતુ ગુજરાતમાં 8 ડિસેમ્બરથી સચ્ચે દિન ચોક્કસ આવશે.

  તેમણે જણાવ્યુ કે મે 7 મહિના પહેલા જોયુ છે કે જ્યારે લોકો આ રીતે બહાર આવે છે ત્યારે તેઓ પંજાબની જેમ સરકાર બદલી નાે છે. વધુમાં તેમણે કહ્યુ આમ આદમી પાર્ટીમાં સામાન્ય પરિવારના દીકરા દીકરીઓ પણ ખુરશી પર બેસી શકે છે. તેમણે જણાવ્યુ કે ગુજરાતની જનતાએ હવે 27 વર્ષ જૂની ચક્કીને જડમૂળથી ઉખેડી નાખવી જોઈએ

(12:15 am IST)