Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

અમદાવાદના સાણંદમાં સંતશ્રી મુનિદાસજી મહારાજની પુણ્‍યતિથિએ લોકડાયરો બ્રિજરાજ ગઢવી, બિરજુ બારોટની જમાવટ

જૂનાગઢ : જેની ઉપર લોકોની અપારશ્રધ્‍ધા ભકિત અને વિશ્વાસ છે એવા પ્રાંત સ્‍મરણીય પ.પૂ.બ્રહ્મલીન સંતશ્રી મુનિદાસજી મહારાજની ૩૭મી પુણ્‍યતિથિ નિમિતે મુનિ આશ્રમ સાતથાળા નિઘરાડ સાણંદ ખાતે ગત રાત્રે લોકડાયરો યોજાયો હતો. જેમાં લોકસાહિત્‍યકાર બ્રિજરાજદાન ગઢવી ભજન સમ્રાટશ્રી બિરજુ બારોટ એ લાખો લોકોની મેદની વચ્‍ચે જમાવટ કરી હતી. તેમ કલ્‍પિતભાઇ ડી.તેરૈયાએ જણાવ્‍યું હતું. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(10:52 am IST)