Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇને મળતા રાજકોટના વલ્લ્ભભાઇ દુધાત્રા

રાજકોટઃ ધારાસભાની ચૂંટણી નિમિતે વડાપ્રધાન શ્રી મહેન્દ્રભાઇ મોદી બે દિવસ પહેલા ઝાલાવાડના પ્રવાસે હતા. સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા વચ્ચે  તેમની જંગી જાહેરસભા યોજાયેલ. સભા પછી મહાનુભાવો સાથેની મુલાકાત વખતે રાજકોટના ભૂતપુર્વ ડે. મેયર વલ્લભભાઇ દુધાત્રાએ વડાપ્રધાનને મળી પ્રસન્નતા વ્યકત કરેલ. શ્રી દુધાત્રા હાલ ધ્રાંગધ્રા-હળવદ મતક્ષેત્રના ભાજપના પ્રભારી તરીકે કાર્યરત છે.

(3:01 pm IST)