Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

રાજ્યમાં કોરોના હાંફ્યો :નવા 8 કેસ નોંધાયા:વધુ 21 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:મૃત્યુઆંક 11.042 થયો :કુલ 12.66.118 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 8165 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ મહાનગરોમાં નોંધાયા:રાજયમાં હાલમાં 241 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 21 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,66,118 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં  કુલ મૃત્યુઆંક 11,042  થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.12 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 8165 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,76.26.765 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 241 એક્ટિવ કેસ છે.જેમાંથી 3 દર્દી વેન્ટિલેટર પર છે, જયારે 238 દર્દીઓ  સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 8 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3 કેસ,સુરત કોર્પોરેશનમાં 2 કેસ, રાજકોટ, સુરત અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે

(7:16 pm IST)