Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકીના જન્મદિવસે બટુક ભોજન કરાવી શ્રદ્ધાંજલિ.

મોરબી ઝૂલતો પુલની ગોઝારી દુર્ઘટનાને આટલા દિવસો વીત્યા બાદ હજુ પણ પીડિત પરિવારો તે દિવસને ભૂલ્યા નથી ત્યારે આ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકીના જન્મદિવસ નિમિતે બટુક ભોજન કરાવ્યું હતું અને લત્તાવાસીઓએ બાળકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા માહી દર્શનભાઈ જોગીયાની (ઉ.વ.૦૭) અને ભાવેશ દર્શનભાઈ જોગીયાની (ઉ.વ.૦૪) એમ બંને ભાઈ બહેનનું એ દુર્ઘટનામાં મોત થયું હતું અને આજે સ્વ. માહીનો જન્મદિવસ હોય ત્યારે જોગીયાની પરિવાર દ્વારા બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું પોતાની લાડકી દીકરીની સ્મૃતિમાં વિસ્તારના બાળકોને ભોજન કરાવી જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે લત્તાવાસીઓએ પણ ભીની આંખે માસૂમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

(9:53 pm IST)