Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

અંબાજી મંદિર 31મી જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય

ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો તારીખ 22મીથી 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

dir="ltr">
અંબાજી  મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.જાહેર કરાયેલા નિવેદન મુજબ, રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. તેથી ચર્ચા વિચારણાના અંતે વ્યવસ્થાપક સમિતિ દ્વારા શ્રી અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો તારીખ 22 જાન્યુઆરી 2022થી 31 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
  કોરોના સંક્રમણ વધુ ન ફેલાય અને ભક્તો સુરક્ષિત રહે તેવા આશય થી મંદિર બંધ કરાયા હોવાનું જણાવ્યું હતું અને સવાર સાંજની આરતીના ઘરે બેઠા દર્શનનો લાભ મળે તેવી વ્યવસ્થા પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે
(6:38 pm IST)