Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

રાજપીપળામાં જૈન સમાજ દ્વારા શ્રી સુમતીનાથ જિનાલયની 15મી ધ્વજારોહણ સાલગીરીની ઉજવણી થઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા દરબાર રોડ સ્થિત જૈન દહેરાસરમાં આજે જૈન સમાજ દ્વારા શ્રી સુમતીનાથ જિનાલયની 15મી ધ્વજારોહણ,સાલગીરીના પ્રસંગે વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા.જેમાં જૈન સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ રંગે ચંગે આ દિવસની ઉજવણી કરી હતી આ શુભ દિવસને વધુ મધુર બનાવવા વડોદરાથી સંગીતકાર અમિતભાઈ અને તેમની મંડળીએ ભક્તિભર્યા સંગીત સાથે જૈન સમાજના ભાઈઓ અને બહેનોને ઉત્સાહિત કર્યા હતા.અને 15મી ધ્વજા નો કાર્યક્રમ સંપન્ન થયો હતો

(10:24 pm IST)