Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

લિઓ ક્લબ ઓફ વિરમગામ દ્વારા રવિવારે નિઃશુલ્ક ઔષધિ છોડ વિતરણ કરાશે

આનંદ મંદિર સ્કૂલ વિરમગામ ખાતે વિતરણ કરવામાં આવશે : ઔષધીય છોડ માટે 8000005787, 9537990084 મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકાશે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :લિઓ ક્લબ ઓફ વિરમગામ દ્વારા રવિવારે નિઃશુલ્ક ઔષધિ છોડ વિતરણ કરવામાં આવશે. જાણીતી શૈક્ષણીક સંસ્થા આનંદ મંદિર સ્કૂલ વિરમગામ ખાતે વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. મિન્ટ તુલસી, ફૂદીનો, કુંવારપાઠું, નાગરવેલ, અરડુસી, સતાવરી સહીતના ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવશે. ઔષધીય છોડ માટે 8000005787, 9537990084 મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકાશે તેમ લીઓ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ આદિત્ય મચ્છર અને આનંદ મંદિર સ્કુલના ગોકુલ પટેલે જણાવ્યું હતું.

(3:47 pm IST)