Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

રાજ્યમાં કોરોનાના ખતરનાક કાપા વેરિએન્ટના નવા 5 કેસ નોંધાતા ચિંતાનો માહોલ : જામનગરમાં 3 કેસ, ગોધરા અને મહેસાણામાં 1-1 કેસ નોંધાયો : કોરોનાના નવા 39 પોઝીટીવ પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 42 દર્દીઓ સ્વસ્થ થયા : આજે એકપણ દર્દીનું મૃત્યુ નહીં : કુલ મૃત્યુઆંક 10.076 : કુલ 8.14.265 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 2.96.092 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 10 કેસ, સુરતમાં 9 કેસ, વડોદરામાં 6 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, અમરેલી અને જૂનાગઢમાં 2-2 કેસ, ભરૂચ, દાહોદ, નવસારી, પોરબંદર, અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 342 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે,કોરોનાના નવા કેસ માં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 39 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 42 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 દરમિયાન રાજ્યમાં કોવીડ 19 અંતર્ગત કાપા વોરીએન્ટના 5 કેસ જોવા મળ્યા છે એમાંથી 3 કેસ જામનગર, 1 કેસ ગોધરા,અને 1 કેસ,મહેસાણા ખાતે નોંધાયો છે,આ કેસો માર્ચ મહિના તેમજ જૂન મહિનામાં નોંધાયેલ પોઝિટિવ કે પૈકી જિનમ સિક્વન્સી દરમિયાન મળી આવેલ છે,

 આ વેરિએન્ટ આઈસીએમઆરની માર્ગદર્શિકા અનુસાર વેરીનાટ ઓફ ઇંટ્રેસ્ટ છે તેમજ વેરીનાટ ઓફ કન્સર્ન નથી,આ તમામ કેસોના સંપર્કમાં આવેલ વ્યક્તીનોનું કોન્ટેક્ટ ટ્રેસીંગ હાથ ધરવામાં આવ્યું છે અને તેમાં હાલ કોઈ વ્યક્તિને લક્ષણો જોવા મળેલ નથી આ ઉપરાંત આ વિસ્તારોમાં આરોગ્ય વિભાગે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 39 પોઝીટીવ  કેસ નોંધાયા છે જયારે વધુ 42 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.14.265 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એક દર્દીનું મોત થયું  નથી  ,રાજ્યમાં મૃત્યુઆંક 10076 છે,રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા થયો છે

 રાજ્યમાં રસીકરણ વેગવાન બનાવાયું છે, આજે વધુ 2.96.092 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજ્યમાં કુલ 3.13.07.617 વ્યક્તિને રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 342 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 લોકો વેન્ટિલેટર પર અને 337 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.14.265 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 39 કેસમાં અમદાવાદમાં 10 કેસ,સુરતમાં 9 કેસ,વડોદરામાં 6 કેસ, ગાંધીનગરમાં 5 કેસ,અમરેલી અને જૂનાગઢમાં 2-2 કેસ, ભરૂચ, દાહોદ, નવસારી, પોરબંદર,અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે

(8:36 pm IST)