Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

અમદાવાદના યુવા બાઇકર્સ ૩૮૦૦ કિમીનું અંતર કાપીને પીથોરાગઢ પહોંચ્યા

અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાંથી યુવા બાઇકર્સે ગ્રુપે એક શાનદાર બાઇક પ્રવાસનું આયોજન કર્યું હતું. યુવા બાઇકર્સ પોતાની વ્યસ્ત જિંદગીમાંથી સમય કાઢીને અમદાવાદતી રાજસ્થાનના પીયોરાગઢ સુધીનો લગભગ ૩૮૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને અનોખા આનંદનો લાભ ઉઠાવ્યો હતો. આ યુવા ગ્રુપે ૧૩ દિવસના સમયમાં લગભગ ૩૮૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. આ પ્રવાસમાં બાઇકર્સ અમદાવાદથી નીકળી, જયપુર, નૈનીતાલ, મુકતેશ્વર, પાતાલભુવનેશ્વર, જાગેશ્વર ધામ, બીર્થી વોટર ફોલ, કાલિયા ટોપ, મુન્શીયારી, ધારૂચૂલા, તવા ઘાટ, રાથી ફોલ, ચીયલેખ, ધર્મા વેલી, પંચા ચુલી બેઝ કેમ્પ, દુગ્તુ વિલેજ અને પીથોરાગઢથી અમદાવાદ પરત કર્યા હતા. ૨૦૨૧ની આ બાઇક ટૂરમાં ૧૭ રાઇડર્સે ભાગ લીધો હતો. જેમાં ૧૫ જેટલા છોકરાઓ અને ૨ છોકરીઓ સામેલ થઇ હતી. આ ટુરમાં ૧૦ બાઇક  પર સવારી કરવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલ : કેતન ખત્રી,અમદાવાદ)

(3:33 pm IST)