Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે મહેકમ મંજૂર થતા ૧૬ નાયબ મામલતદારની મોડી રાત્રે બદલીના ઓર્ડરો

બીનખેતી વિવાદ અંગે સખીયાને રાજકોટ બહાર મૂકી દેવાયા : માનસાતાને ઝોનલનો હવાલો

રાજકોટ તા. ૨૩ : આગામી ડીસેમ્‍બરમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે તા. ૧લી નવેમ્‍બરથી ૩૧ જાન્‍યુ. સુધીનું મહેકમ મંજૂર થતા રાજકોટ જિલ્લા કલેકટરે ગત મોડી રાત્રે ચૂંટણી માટે ૯ નાયબ મામલતદાર સહિત કુલ ૧૬ નાયબ મામલતદારોની બદલીના ઓર્ડરો કર્યા છે, તેમાં તાજેતરમાં બીનખેતીના કેસો અંગે વિવાદ થયા બાદ બીનખેતીના નાયબ મામલતદાર સખીયાની રાજકોટ બહાર બદલી કરી નાંખી છે, તો પુરવઠાના માનસાતાને પણ ઝોનલમાં મૂકી દિધા છે.

 

(11:49 am IST)