Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

રાજ્યમાં કોરોનાના નવા 24 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 21 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી :કુલ મૃત્યુઆંક 10.087 :કુલ 8.16.147 લોકોએ કોરોનાને હરાવ્યો: આજે વધુ 3.01.026 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 9 કેસ, સુરતમાં 6 કેસ, વલસાડમાં 5 કેસ,નવસારીમાં 2 કેસ, જૂનાગઢ અને ખેડામાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 168 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

  અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 24 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 21 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 24 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 21 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.16.147 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી રાજયમાં કુલ મૃત્યુઆંક 10.087 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.01.026 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 6.83.23.024 લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 168 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 લોકો વેન્ટિલેટર પર અને 163 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.16.147  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એક પણ  દર્દીનું મૃત્યુ થયું નથી , રાજયમાં કુલ મૃત્યુઆંક 10.087 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 24 કેસમાં અમદાવાદમાં 9 કેસ, સુરતમાં 6 કેસ, વલસાડમાં 5 કેસ,નવસારીમાં 2 કેસ, જૂનાગઢ અને ખેડામાં 1-1 કેસ નોંધાયો છે

(7:55 pm IST)