Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6 માં પ્રવેશ મેળવવા અરજીઓ મંગાવાઈ

-- પ્રવેશ મેળવવા ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : આચાર્ય, જવાહર નવોદય વિદ્યાલય, હાથીજણ, જી. અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં  આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ-૬માં પ્રવેશ મેળવવા માટે આવેદન આમંત્રિત છે. ગુજરાત રાજ્યની તમામ શાળાઓમા વર્ષ ૨૦૨૨-૨૩માં ભણતા ધોરણ-૫ના વિદ્યાર્થીઓ આવેદન ઓનલાઇન વેબસાઈટ http://navodaya.gov.in ઉપર કરી શકશે.

   આવેદન તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ સુધી કરી શકાશે. આવેદન કરવા માટે વિદ્યાર્થીની ઉંમર તારીખ ૦૧-૦૫-૨૦૧૧ થી ૩૦-૦૪-૨૦૧૩ની વચ્ચે (બંને તારીખ મળીને) આપવામા આવેલ હતી. જે નિયામક, ગુજરાત રાજ્યની વિનંતિને માન્ય રાખી, કમિશનર, નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા વિદ્યાર્થીની ઉંમર તારીખ ૦૧-૦૫-૨૦૧૧થી ૩૧-૦૫-૨૦૧૩ની વચ્ચે (બંને તારીખ મળીને) માત્ર ગુજરાત પુરતી કરવામાં આવેલ છે.

(7:36 pm IST)