Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

નર્મદા જિલ્લામાં મૂકબધિરો પ્રજ્ઞાચક્ષુઓ સહિતના દિવ્યાંગો મતદાન કરવા બન્યા છે તત્પર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં મૂકબધિર, પ્રજ્ઞાચક્ષુ સહિતનાં દિવ્યાંગ મતદારોમાં ભલે શિક્ષણનું પ્રમાણ કદાચ ઓછું હશે, પણ લોકશાહીમાં તેમની શ્રધ્ધા અતૂટ છે અને મતદાન માટેની ફરજ પરસ્તી પ્રેરક છે, સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિની જેમ સરળતાથી તેઓ મતદાન કરી શકતા નથી પણ અગવડો-અડચણો વેઠીને પણ મતદાન કરવાની તેમની ઘગશ મતદાન મથક સુધી લઇ જાય છે અને ટેકણ લાકડી કે સહાયકની મદદથી મતદાન કરીને તેઓ લોકશાહીને જાણે કે વિકલાંગ થતી બચાવે છે. આમ, તનથી અશક્ત પણ મનથી સશક્ત લોકશાહીનાં આ સૈનિકો મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબુત બનાવવા સંકલ્પબધ્ધ છે.

(10:44 pm IST)