Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

કલોલ તાલુકાના જાસપુર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પ્રેમી પંખીડાએ કમરે પટ્ટો બાંધેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

કલોલઃ તાલુકાના જાસપુર ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ગતરોજ પ્રેમી પંખીડાની કમરે પટ્ટો બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી.આ બનાવ અંગે પોલીસે જરૃરી નોંધ કરીને તપાસ ચલાવી છે.

આ બાબતે મળતી માહિતી અનુસાર કલોલ તાલુકાના જાસપુર ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવક અને યુવતીની કમરે પટ્ટો બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરતા આ લાશ જાસપુર ગામે રહેતા પુનમભાઈ કનુભાઈ દંતાણી વર્ષ ૧૮ તથા સગીરા હોવાનું માલુમ પડયું હતું કે પોલીસે બંનેની લાશોને પીએમ કરાવી ને તેના પરિવારજનોને સોંપી હતી અને પ્રાથમિક તપાસમાં માલૂમ પડયું હતું કે આ બંને એકબીજાના પ્રેમમાં હતા અને આ બંને એક નહીં થઈ શકે તેમ માનીને કેનાલમાં ઝંપલાવી દીધું હતું બંનેના મોત અંગે પોલીસે જરૃરી નોંધ કરીને તપાસ હાથ ધરી છે. 

(5:31 pm IST)