Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

કોંગ્રેસ ગુજરાતના આગેવાને રામ મંદિર માટે નિવેદન કર્યુ. તેનાથી લાગે છે કે તેમને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈ ચેક અપ કરવાની જરૂર છે. : કોંગ્રેસના આગેવાનમાં જો હિંમત હોય તો હિંદુ ધર્મના મંદિરો સિવાય અન્ય ધર્મ સ્થાનો છે તેના માટે નિવેદન કેમ નથી કરતાં? : ગુજરાત ની જનતાએ નક્કી કર્યુ છે કે કોંગ્રેસ મુક્ત ગુજરાત હોવુ જોઈએ તે થઈને રહેશે. તેનો મને વિશ્વાસ છે.: ગુજરાત ની જનતાએ આપેલો મત એળે નહિ જાય તેની કાળજી ભાજપ ના કાર્યકરોની છે અને ભાજપના કાર્યકરો તમારી સાથે છે. : સી.આર.પાટીલ

વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ ભાજપ અધ્યક્ષે પાદરા ખાતે દિવ્યાંગ,વિધવા બહેનો, NGO,સરકારી યોજનાના વિવિધ લાભાર્થી સાથે સંબોધન કર્યું.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મિડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે , ૨૫ મે ના રોજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ ભાજપ અધ્યક્ષે પાદરા ખાતે દિવ્યાંગ,વિધવા બહેનો,NGO,સરકારી યોજનાના વિવિધ લાભાર્થી સાથે સંબોધન કર્યુ.તેમજ પાદરા ટાઊનહોલ ખાતે શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો.

આ કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત મા નવસારી મા પહેલો કાર્યક્રમ એક લાખ લોકો ની ઊપસ્થિતીમા કર્યો અને ૧૭ હજાર લોકો પોતાનુ જીવન સરળતાથી જીવી શકે તે માટે ૧૭ હજાર સાધનો નુ વિતરણ કર્યુ. દિવ્યાંગ ભાઈબહેનો ને સાધનો મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ વ્યવસ્થા કરી હતી. તેમની કેટલીક રજુઆત કેન્દ્ર સરકાર સુધી પહોચાળવા પ્રયત્ન કરવામાં આવશે. આખા દેશ માં વિધવા બહેનો ને પેન્શન યોજના દ્વારા મદદ કરવામાં આવે છે. જેમા વિધવા બહેનો ના દિકરો કે દિકરી ૧૮ વર્ષ ના થાય ત્યાસુધી દિવાંયાગ ને પેન્શન આપવામાં આવે છે. પરુંતુ ગુજરાત માં રાજ્ય સરકાર દ્વારા આજીવન પેન્શન આપવામાં આવે છે.તમામ દિવ્યાંગ ભાઈ-બહેનોને,વિધવા બહેનોને સહાય કરવામાં આવે છે. કામદાર ભાઈ બહેનો માટે શ્રમજીવી કાર્ડ બનાવવાની યોજના બનાવવામાં આવી છે જેથી તેમના સરકારની યોજનાનો લાભ મળે. આત્મનિર્ભર કે આરોગ્ય માટે કાર્ડ યોજના નો લાભ અપાવવા પણ પુરતાં પ્રયત્ન કરવામાં આવે છે. માં કાર્ડ મારફતે ગરીબ વ્યક્તિ તેમની સારવાર કરી શકે છે. ગજરાત એક માત્ર રાજ્ય એવું છે કે જેની અંદર આદિવાસી વિસ્તારમાં એક થી વધુ યોજના નો લાભ એક જ વ્યક્તિને મળ્યા હોય તેવા અનેક દાખલા છે. ભવિષ્યમાં પણ ભાજપ ના કાર્યકરો દરેક જરૂરીયાતમંદ વ્યક્તિને સરકાર ની યોજના ના લાભો મળે તેવા પ્રયત્નો સતત કરતા રહેશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દિવ્યાંગ ભાઈ-બહેનો પોતે આત્મનિર્ભર બને તેઓ પોતાના જીવનનિર્વાહ માટે કોઈ સામે હાથ લંબાવવો ન પડે તે માટે વિવિધ યોજનાઓ પણ બહાર પાડી છે. ગુજરાત માં વિવિધ કામો જનહિત માં કરવામાં આવ્યા છે તેના કારણે છેલ્લા ૨૭ વર્ષથી ભાજપની સરકાર ગુજરાત ની સતામાં છે. ગુજરાતની જનતા એ આપેલો મત એળે નહી જાય તેની કાળજી ભાજપ ના કાર્યકર ની છે. અને ભાજપ ના કાર્યકર તમારી સાથે છે તેનો વિશ્વાસ અપાવ્યો.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કોંગ્રેસના નેતા પર આક્ષેપ કરતાં જણાવ્યુ છે કે, ગઈકાલે કોંગ્રેસ ગુજરાત ના આગેવાને રામમંદિર માટે નિવેદન કર્યુ હતુ તેનાથી લાગે છે કે તેમને મેન્ટલ હોસ્પિયલ માં લઈ જઈ ચેકઅપ કરાવવા ની જરૂર છે. તેમના નિવેદન થી હિંદુ ધર્મના ભાઈ-બહેનો ની લાગણીઓ સાથે રમત રમવાનુ બંધ કરે તેમને હું અહિ થી ચેતવણી આપું છું કે આવો જો પ્રયત્ન વારંવાર કરશો તો આ હિંદુધર્મના ભાઈ-બહેનો તેમને પાઠ ભણાવશે. તેમનામાં જો હિંમત હોય તો હિંદુધર્મના મંદિરો સિવાય અન્ય ધર્મસ્થાનો છે. તેના માટે નિવેદન કેમ નથી કરતાં? તે સવાલ કર્યો. અન્ય ધર્મના સ્થાનોમાં પણ કુતરાંઓ ફરતાં હોય છે. ત્યા તેઓ નૈસર્ગિક પ્રક્રિયા કરતા હોય છે તે અંગે નિવેદન કરે છે. આ નિવેદન આપે તો તે મર્દ છે. હિંદુ ધર્મના ભાઈ-બહેનો સહિષ્ણુ છે. તેઓ ઝડપથી નિવેદવ આપતા નથી. પરંતુ જ્યારે આપે ત્યારે ઊખાડીને ફેંકી દે છે એ સમજી લે.આગામી સમયમાં ગુજરાત માં ચુંટણી આવી રહી છે. ત્યારે કેટલાક સમાજના ચોક્કસ રીતે હર્ટ કરી કેટલાક લોકો ને ખુશ કરવાનો પ્રયત્ન કરી ગુજરાત માં સતા હાશલ કરવાના પ્રયત્ન ન કરે. તેમની હાર નક્કી છે. ગુજરાત ની જનતા એ નક્કિ કર્યુ છે કે કોંગ્રેસમુક્ત ગુજરાત હોવુ જોઈએ તે થઈને રહેશે. તેનો મને વિશ્વાસ છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ,સાંસદ રંજનબેન ભટ્ટ,ગીતાબેન રાઠવા,જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,વડોદરા જિલ્લાના પ્રભારી પરાક્રમસિંહ જાડેજા,જ્હાન્વીબેન વ્યાસ,પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ ડાંગર, માજી ધારાસભ્ય દિનુમામા, ચેરમેન રામસિંગ રાઠવા સહિત પદાધિકારીઓ તેમજ કાર્યકર્તા ઊપસ્થિત રહ્યા હતાં તેમ ડો. યજ્ઞેશ દવે.(પ્રદેશ મીડિયા કન્વીનર) ની યાદીમાં જણાવ્યુ છે.

(6:38 pm IST)