Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ભીલવસી બીટના વનકર્મી પર પથ્થર વડે હુમલો :પાચ શખ્શો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ભીલવસી બીટના જંગલ કમ્પાર્ટમેન્ટ નં-૫૦માં વનતલાવડીનું ખોદકામ કરવા બાબત ઝઘડો થતા વનકર્મી પર પથ્થર વડે હુમલો થતા પાચ શખ્શો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
 પ્રાપ્ત માહિતી મુજબ સંજયભાઈ સનાભાઇ બારીયા (રહે કંથરપુરા મહુડી ફળીયુ તાલુકો તિલકવાડા જીલ્લો નર્મદા) ગોરા રેન્જ, ગોરા રાઉન્ડમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે જેમની ફરિયાદ અનુસાર ભીલવસીના જંગલ કમ્પાર્ટમેન્ટમાં નં-૫૦ માં તારીખ ૨૪/૦૫/૨૨ ના રોજ સવારે ૯:૩૦ થી ૧૦:૦૯ વાગ્યાના અરસામાં યતિષભાઈ અમૃતભાઈ તડવી (રહે કંથરપુરા )તથા અંબાલાલ શંકરભાઇ તડવી( રહે ગોરા તાલુકો ગરૂડેશ્વર જીલ્લો નર્મદા) નાઓ જેસીબી મશીન લઇ વનતલાવડી બનાવવાનું ખોદકામ કરતા હતા તે વખતે (૧) કરણ ઝવેરભાઈ વસાવા (૨) અરવિંદ ઝવેરભાઈ વસાવા (૩) ગોપાલ ઝવેરભાઈ વસાવા (૪) કપિલાબેન કરણભાઈ વસાવા (૫) શરાદ વાલજીભાઈ વસાવા (તમામ રહે બારખડી તાલુકો ગરૂડેશ્વર જીલ્લો નર્મદા )નાઓ એક સંપ થઇ આવી સંજયભાઈ બારીયા તથા યતીશ ભાઈ તડવી તથા અંબાલાલ તડવીને ગાળો બોલી ઝપાઝપી કરી લાકડી વડે તથા હાથમાં પથ્થર લઈ માથાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. આ જમીનમાં તમો તલાવડી ખોદશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી સરકારી કામમાં રુકાવટ કરી ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે પાંચેય વિરોધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:23 pm IST)