Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

રાજપીપળાના ભરચક એવા સંતોષ ચાર રસ્તા પર આવેલા મહાદેવના મંદિરમાં ચાંદીની વસ્તુની ચોરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં સંતોષ ચોકડી પર આવેલા મહાદેવના મંદિરમાં વહેલી સવારે ચોરીની ઘટના બનતા પોલીસ તાબડતોબ પહોંચી હતી
પ્રાપ્ત માહિતી મુજબ સંતોષ ચાર રસ્તા પર આવેલા મહાદેવના મંદિરમાં વહેલી સવારે લગભગ 3 થી 4 નાં સમયગાળામાં કોઈ અજાણ્યા ચોરોએ મંદિરની જાળીનું તાળું તોડી અંદર શિવલિંગ પરનો ચાંદીનો નાગ અને શીશ અને તોડેલા તાળાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા રોજિંદા નિત્યક્રમ મુજબ મંદિરના મહારાજે સવારે મંદિર ખોલ્યું ત્યારે આ બાબતની જાણ થતાં તુરત રાજપીપળા પોલીસ મથકે જાણ કરાતા પોલીસ તાબડતોબ પહોંચી કાર્યવાહી કરી છે.

(10:27 pm IST)