Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

નર્મદા જિલ્લા ભાજપ આઈ ટી સેલના હોદ્દેદારની વરણી કરવામાં આવી

ગુરુડેશ્વરમાંથી કેયુર ભાઈ તડવી, જયેશ ભાઇ તડવી,તથા રાજપીપળામાં ભરતભાઈ શાહ(પત્રકાર) તથા ચિરાગભાઈ માલી તિલકવાડામાં ભીલ અમિતભાઇ,તડવી રાહુલ ભાઈ,સાગબારમાં સૌરાવભાઈ વસાવા અને વિરેન્દ્રસિંહ કોઠારી, ડેડીયાપાડામાં ગણપતભાઈ વસાવા અને યોગેશભાઈ વસાવા તથા નાંદોદ તાલુકામાં દિવ્યેશભાઈ વાસવા અને સુનિલભાઈ વસવાની વરણી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર ગુજરાતમાં 2022માં વિધાનસભા ની ચૂંટણી આવી રહી છે તેના ભાગરૂપે તમામ પાર્ટી કામે લાગી છે,ગુજરાત પ્રદેશ ના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ મોરચા ની વરણી કરવામાં આવી રહી છે જેમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનસ્યામ ભાઈ પટેલના નેતૃત્વમાં નર્મદા જિલ્લા ભાજપ આઈ ટી સેલના હોદ્દેદારની વરણી કરવામાં આવી છે જેમાં આઇ ટી સેલના જિલ્લા કન્વીનર તરીકે પ્રણાવભાઈ વ્યાસ,સહ કન્વીનર તરીકે રાજપાલ સિંહ ગોહિલ સહિત અન્ય 12 સદસ્યોની વરણી કરવામાં આવી છે.
 વરણી કરાયેલા 12 સદસ્યમાં ગરુડેશ્વરમાંથી કેયુર ભાઈ તડવી, જયેશ ભાઇ તડવી,તથા રાજપીપળા શહેરમાં ભરતભાઈ શાહ(પત્રકાર) તથા ચિરાગભાઈ માલી તિલકવાડામાં ભીલ અમિતભાઇ,તડવી રાહુલ ભાઈ,સાગબારમાં સૌરાવભાઈ વસાવા અને વિરેન્દ્રસિંહ કોઠારી, ડેડીયાપાડામાં ગણપતભાઈ વસાવા અને યોગેશભાઈ વસાવા તથા નાંદોદ તાલુકામાં દિવ્યેશભાઈ વાસવા અને સુનિલભાઈ વસવાની વરણી થઈ છે.

(11:35 pm IST)