Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

પૂ.મોરારીબાપુનો આજે જન્મદિવસ

રાજયસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી

રાજકોટ, તા., ૨૫ : પૂ. મોરારીબાપુનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે થયો હતો.

પૂ. મોરારીબાપુએ શિક્ષક તરીકે નોકરી કર્યા બાદ રામકથાનું વાંચન શરૂ કર્યુ હતું અને દેશ-વિદેશમાં અનેક રામકથાઓનું તેઓએ રસપાન કરાવ્યું છે.

પૂ.મોરારીબાપુ રામકથાના માધ્યમથી  લોકોને સંદેશ પહોચાડી રહયા છે. આધ્યાત્મીક અને ધાર્મિક વાતો રજુ કરીને લોકોને ધાર્મિકતાના દ્રષ્ટાંતો આપવામાં આવી રહયા છે. પૂ.મોરારીબાપુએ જુદી-જુદી જગ્યાર અનેક  કથાઓનું રસપાન કરાવ્યું છે. દેશ-વિદેશમાં  તેમની કથાનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવીકો ઉમટી પડે છે. રાજયસભાના સાંસદ પરીમલભાઇ નથવાણીએ પૂ.મોરારીબાપુના જન્મદિન નિમીતે ટવીટ કરીને શુભેચ્છા પાઠવી છે.જા કે પૂ.મોરારીબાપુ તેમનો જન્મદિવસ મહાશિવરાત્રી (તા.ર-૩-૧૯૪૬)ના રોજ ઉજવે છે.

(10:59 am IST)