Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કાલે મોરબી જિલ્લાના પ્રવાસે

હળવદ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ શિબિરમાં ઉપસ્થિત રહેશે

મોરબી,તા. ૨૫: રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી મોરબી જિલ્લાના એકદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાજયપાલશ્રીની ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન (ગુજરાત રાજય) અને શ્રી નંદનવન નર્મદા સિંચાઈ સહકારી મંડળી વેગડવાવ, તાલુકો હળવદ દ્વારા પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. હળવદ માર્કેટયાર્ડ ખાતે તા.૨૬/૦૯/૨૦૨૧ રવિવારના સવારે ૯:૦૦ કલાકે આ કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

(11:45 am IST)