Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સુરતના પાંડેસરામાં ધો-8ના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: શહેરનાપાંડેસરા વિસ્તારમાં માત્ર 12 વર્ષના ઘો. 8ના વિધાર્થીએ શુક્રવારે બપોરે ઘરના બાથરૂમમાં ફાસો ખાઈને આપઘાત કરી લેતા પરિવાર સ્તબ્ધ થઈ ગયા હતા. નવી સિવિલ અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે રણછોડ નગરમાં રહેતા રામભાન શાહુનો 12 વર્ષીય પુત્ર પાર્થએ ગઈ કાલે બપોરના પાંડેસરા વિસ્તારમાં આવેલી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતો હતો ગઈકાલે બપોરે તે સ્કૂલેથી ઘરે આવીને ભોજન કર્યું હતું બાદમા તે બાથરૂમમા લઘુશંકા કરવા ગયો હતો.

સાંજે ચાર વાગ્યે માતા ઊંઘમાંથી ઉઠ્યાં બાદ પુત્ર પાર્થને જોતા ઘરમાં દેખાયો નહીં હતો. જેથી તેની શોધખોળ કરતા બાથરૂમ પાસે પહોંચ્યા ત્યારે પુત્ર પાઠ બાથરૂમ ના દરવાજાની બારસાક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો દેખાયો હતો. પુત્રને જોઇને માતા હેબતાઈ ગઈ હતી અને ચીસો પાડવા લાગ્યા હતા ત્યારે પિતા તેમજ પાડોશીઓ પણ દોડી આવ્યા હતા. પુત્રના આપઘાતના પગલે માતા પિતા સહિત પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા હતા,જ્યારે સ્થાનિ રહીશો પણ ચોકી ગયા હતા. ઘટના અંગે જાણ કરવામાં આવતા પાંડેસરા પોલીસ સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે પાર્થ મૂળ ઉત્તરપ્રદેશના બાંદાનો વતની હતો તેનો એક ભાઈ અને બે બહેન છે. તેણે કોઈ કારણસર આપઘાત કર્યો હતો તે તપાસ દરમિયાન સ્પષ્ટ થશે. નહીં,વધુ તપાસ ચાલી રહી છે. તેના પિતા કરિયાણાની દુકાન ધરાવે છે. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:24 pm IST)