Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

નિશાતભાઈ શાહ લિખિત 'વ્હોટ્સ યોર પીએનઆર !! પુસ્તકનું પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા વિમોચન

જાણીતા સાયન્સ ફિક્શન બુકના લેખક નિશાતભાઈ શાહ લિખિત પુસ્તકમાં ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રમાં છેલ્લા બે વર્ષની સંકયસમયનું આલેખન : વરિષ્ઠ પત્રકાર કિશોર અંજારિયાની ખાસ ઉપસ્થિતિ

અમદાવાદ : અમદાવાદ સ્થિત ટુરિઝમ અને એવિએશનના વ્યવસાયી , મૂળ ભાવનગરના વતની અને સાયન્સ ફિક્શન બુકના લેખક નિશાતભાઈ શાહ લિખિત પુસ્તક ' વ્હોટ્સ યોર પીએનઆર !નું રાજ્યના પ્રવષ્ણ મંત્રી પુર્ણેશભાઈ મોદીના હસ્તે વિમોચન કરાયું હતું આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર કિશોર અંજારિયા ઉપસ્થિત રહ્યાં હતા

   નિશાતભાઈ શાહના આ પુસ્તકમાં ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રમાં છેલ્લા બે વર્ષ દરમિયાન પસાર થયેલ સંકટસમયની ગાથા રજુ કરી છે, કોરોના કાળ દરમિયાન ટુરિઝમ ઇન્ડ્રસ્ટ્રીઝ સાથે સંકળાયેલ હોટેલિયર, ટ્રાવેલ એજન્ટ,અને ટુર ઓપરેટર જેવા વ્યવસાયીઓએ કરેલ સંકટનો સામનો અને આ ધંધા સાથે સંકળાયેલ વેપારીઓને પૂરતી મદદ મળી નથી એવા સંજોગોમાં તેમની આર્થિક સામાજિક સ્થિતિનું વર્ણન કર્યું છે

  નિશાતભાઈએ પુસ્તકમાં અનેક પ્રસંગોને ટાંકીને આ ધંધા સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓની વિવશ સ્થિતિ પુસ્ર્તક દ્વારા લોકો સમક્ષ રજૂ કરી છે

(9:30 pm IST)