Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

એસજીવીપી ગુરુકુલમાં યોજાયેલ શ્રી ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે યોજાયેલ અન્રકૂટનો પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવેલ

અમદાવાદ તા. 23 એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમમાં વિરાજીત શ્રી  ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે વૈદિક મંત્રો સાથે અડાલજ વાવના પવિત્ર જળ,  ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, ફળોના રસ, સપ્તનદીઓના જળ, પંચગવ્ય વગેરેથી ઘનશ્યામ  મહારાજને વહેલી સવારે અભિષેક કરવામાં આવેલ.    ત્યાર બાદ 75 વાનગીઓના અન્નકૂટ ઠાકોરજીને ધરાવી પૂ.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી  બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીના હસ્તે આરતિ ઉતારવામાં આવી  હતી.   

ત્યારબાદ પૂ.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તેમજ સ્વામી કુંજવિહારીદાસજી અને ઘનશ્યામભાઇ  સુવાના માર્ગદર્શન સાથે સદ્પરિવાર દિવ્યાંગ શાળા ઉવારસદ,સરગાસણ મજુર કોલોની,એસ,જી.હાઇવે મજુર કોલોની, સાબરમતી શાળા વગેરે સ્થળમાં રહેતા દરિદ્રનારાયણને અન્રફટનો પ્રસાદ  વહેંચવામાં આવ્યો હતો. 

(11:54 am IST)