Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

એકસાથે ૭૪ મુમુક્ષોની મહાભિનિષ્ક્રમણ યાત્રાઃ ભુપેન્દ્રભાઇ પટેલે શોભયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

અમદાવાદમાં ઇતિહાસ રચાયોઃ ર૯ નવેમ્બર સુરતમાં દિક્ષા મહોત્સવ

અમદાવાદ તા.રપ : જૈન સમાજના ૭૪ દીક્ષાર્થીના મહાભિનિષ્ક્રમણની ભવ્ ઉજવણી  અંતર્ગત અમદાવાદમાં હજારો ભાવિકોની ઉપસ્થિતમાં ભવ્ય વર્ષીદાની શોભાયાત્રા ગઇકાલે રવિવારે યોજાઇ હતી. શોભાયાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે કરાવ્યું હતું. આ તમામ મુમુક્ષો આગામી ર૯ નવેમ્બરે સુરતમાં દીક્ષાગ્રહણ કરી ઇતિહાસ રચશે. જૈન શાસનના વિજયમાર્ગની વિજયધ્વજા લહેરાવતી અનેક વિશષ્ટિતાઓ  સાથે ભવ્ય વર્ષીદાનનો વરઘોડો ઉસ્માનપુરાના સુમતિનાથ જિનાલાયથી ઋજુવાલિકા ફલેટથી સત્યવાદી સોસાયટી થઇ પંચશીલ રેસીડેન્સી પહોંચ્યો હતો.

અહીથી તલાવડી થઇ નારણપુરા રેલવે ક્રોસિંગ થઇને ડી.કે. પટેલ હોલ સુધી શોભાયાત્રા યોજાઇ હતી. આ શોભાયાત્રા શરૂ થાય તે પહેલા મુખ્યમંત્રી ભેપુન્દ્રભાઇ પટેલ તમામ દીક્ષાર્થીઓને મળ્યા હતા. ત્યારબાદ તેમણે યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે સાધુ-સંતોના આશીર્વાદ પણ લીધા. આ વરઘોડામાં ૭૪ મુમુક્ષો માટે ભવ્ય રીતે તૈયાર કરેલી શિબિકાઓ, આકર્ષક ટેબ્લો, દેશભરમાંથી આવેલ મંડળીઓ અનેજેન સાધુ સમુદાય પણ જોડાયેલ સંગીત, કિર્તન, ચારિત્ર ધર્મના મર્મને ઉજાગર કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહ્યા હતા હવે આગામી ર૭ ઓકટોબરે હિંમતનગરમાં તમામ સુમુક્ષોનો વર્ષિદાનનો વરઘોડો યોજાશે. ત્યારબાદ ર૯ નવેમ્બરે સુરતના શાંતિવર્ધક જૈન સંઘ પાલ ખાતે સુરિજિન સંયમ કૃપા પાત્ર જૈનચાર્ય યોગતિલક સુરિશ્વરજીની નિશ્રામાં એક સાથે ૭૪ મુમુક્ષો દીક્ષા લઇ સંસારનો ત્યાગ કરશે.

(12:18 pm IST)