Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

દર્દીના મૃત્યુના કિસ્સામાં એપોલો હોસ્પિટલ અને વીમા કંપનીને પાંચ લાખ વળતર ચૂકવવા આદેશ

બાયપાસ સર્જરી બાદ દર્દીને સમસ્યા વધી:ગંભીર ચેપ લાગતાં દર્દીનું મોત: ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ કમિશને વળતર ચૂકવવા આદેશ આપ્યો

અમદાવાદ :  ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ કમિશને એક દર્દીના મૃત્યુના કિસ્સામાં એપોલો હોસ્પિટલ ઈન્ટરનેશનલ લિમિટેડ અને વીમા કંપની રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સને પાંચ લાખ રૂપિયા વળતર ચુકવવા આદેશ કર્યો છે, ઓક્ટોબર 2013માં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ પીસી સુકુમારનને ભાટ ખાતેની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બાયપાસ સર્જરી બાદ દર્દીને સમસ્યા વધી ગઈ હતી, એ પછી ગંભીર ચેપ લાગતાં દર્દીનું મોત થયું હતું. આ કિસ્સામાં મૃતકના પરિવારે એપોલો હોસ્પિટલ સામે બેદરકારી દાખવવાનો આક્ષેપ કર્યો હતો.

 
(12:33 pm IST)