Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

અંકલેશ્વરથી સુરતની વચ્ચે અંસાર માર્કેટ નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા બે બાઈક સવાર યુવાનોના કરૂણમોત

બે બાઈક સવારને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર

ભરૂચઃ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અંકલેશ્વરથી સુરતની વચ્ચે અંસાર માર્કેટ નજીક બે બાઈક સવારને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે. બાઈક સવાર બંને વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

અન્ય એક અકસ્માતમાં, ભરૂચથી જંબુસર જતા માર્ગ પર થામ ગામ નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 6 વધુ લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર અર્થે ખસેડાયા છે.

(9:34 pm IST)