Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

સચિવાલયના અધિકારીઓ-કર્મચારીઓને પ્રવેશ માટે કાર્ડ સ્વાઇપ ફરજિયાત

ગાંધીનગર તા. રપ : સચિવાલયમાં પ્રવેશ માટેના ઇલેકટ્રોનીકસ કાર્ડને સ્વાઇપ કરવામાંથી આગામી સમયગાળા માટેમુકિત આપવી કે કેમ તે અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી પ્રવર્તમાન પરિસ્થિતિ અને કોવિડ રસીકરણનો વ્યાપ ધ્યાને લેતા હવે કાર્ડ સ્વાઇપ કરવામાંથી મુકિત આગળ લંબાવવાની જરૂરીયાત જણાતી નથી તેમ સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રમાં જણાવ્યું છે.

સચિવાલય સંકુલમાં બેસતા સર્વે વિભાગો/ખાતાના વડાઓ/કચેરીઓ તેમજ બોર્ડ/નીગમના અધિકારીઓ તેમજ કર્મચારીઓને સચિવાલયમાં પ્રવેશ માટેના (હાજરી માટેની) ઇલેકટ્રોનીકસ કાર્ડને આજે તારીખ રપ થી પ્રવેશ અને નિકાસ વખતે અગાઉની જેમ સ્વાઇપ કરવાનું રહેશે તેમ પરિપત્રમાં જણાવાયું છે.

(3:53 pm IST)