Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

આમલેથા સુથાર ફળીયામાં મકાનના પતરા પર પથ્થર ન મારવા નું કહેનાર શખ્સને લાકડી મારનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામમાં નજીવી બાબતે માથાકૂટ બાદ માર મારી ધમકી આપનાર ઈસમ સામે ગુનો દાખલ થયો છે.

મળતી માહિતી અનુસાર ચતુરભાઇ દોલતસીંગ વસાવા રહે.આમલેથા સુથાર ફળીયુ નાએ આપેલી ફરિયાદ મુજબ તેમના ઘરના પતરા ઉપર ચંદ્રેશભાઇ રૂપસીંગભાઇ વસાવા (રહે. આમલેથા સુથાર ફળીયુ )પથ્થર મારતા ચતુરભાઈ ઘરની બહાર નીકળી જોતા ચંદ્રેસ ઘરની નજીકમા ઉભો હોય જેથી તેને કહ્યું કે તુ કેમ અમારા ઘરની ઉપર પથ્થર નાખે છે. ત્યારે ચંદ્રેસ એ જણાવ્યું કે હું પથ્થર નથી નાંખતો કેમ મારુ ખોટુ નામ લે છે. તેવુ કહી તે એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ગમેતેમ ગાળો બોલી નજીકમાથી વાંશની લાકડી હાથમા લઇ ચતુરભાઈ ના બંને હાથે લાકડીના સપાટા મારી ગેબી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આમલેથા પોલીસે ચંદ્રેશભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:02 pm IST)