Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

સોની સબનો આગામી શો દિલ દિયા ગલ્લામાં મુખ્ય પાત્રના ભાગરૃપે સંદીપ બસવાનાને રજુ કર્યો

(કેતન ખત્રી) અમદાવાદઃ ટેલિવિઝન ઉદ્યોગમાં જાણીતો કલાકાર સંદીપ બસવાનાને સોની સબ પર નવા શો દિલ દિયા ગલ્લાના કલાકારોમાં લેવાયો છે. તે આ શોમાં મહત્વપૂર્ણ પાત્ર ભજવતો જોવા મળશે. સંદીપ બસવાના મનદીપ નામે પાપ્ર ભજવશે. જે અમૃતા (કાવેરી પ્રિયમ)નો પિતા છે અને દિલપ્રીતનો પુત્ર(પંકજ બેરી) છે. મનદીપ વાર્તાના બંધારણને પ્રભાવિત કરતા મહત્વપૂર્ણ પાત્રમાંથી એક છે.લક્ષ્યની ટોચે પહોંચવા છતા અને સ્વ.સંતુષ્ટ, સંપતિવાન અને ગૌરવશાળી પુરુષની ભુમિકા ભજવવા છતા તેને પોતાના પિતા દ્વારા તરછોડવામાં આવ્યો હોવાની લાગણી થાય છે. વાલીઓની ઇચ્છા વિરૃધ્ધ તે ગર્વ અને અહમને લઇ પોતાના જીવનના નિર્ણયો લે છે. જેને લીધે પરિવારમાં ભાગલા પડે છે.

સંદીપ તેની નવી ભુમિકા વિશે કહે છે. મનદીપનું પાત્ર મહત્વાકાંક્ષા અને લક્ષ્યોને સાકાર કરવા માગતા મધ્યમવર્ગના પરિવારના કોઇ પણ બાળક જેવું છે. આ ભુમિકા વાર્તાને ધ્યાનમાં લેતા મહત્વપૂર્ણ છે અને મનદીપનું એક પગલું પરિવારનું ભાગ્ય નકકી કરે છે. જોકે અમુક લોકો જ વાર્તાલાપ થકી સંઘર્ષનો ઉકેલ લાવવાના મહત્વને ઓળખે છે અને ઘણા બધા તેની અવગણના કરે છે, જેને લીધે તેમના સંબંધોમાં વધુ ઘસારો પડે છે. હું આ પાત્રને અસરકારક રીતે ભજવવા માટે ભારે રોમાંચિત હોવાનું જણાવેલ

(3:37 pm IST)