Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું પરંતુ વિકાસ કરવાને બદલે પોતાના ઘર અને ગજવા ભર્યા :અમિતભાઇ શાહ

ભરૂચના વાગરામાં પ્રચાર દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રીએ ભ્રષ્ટાચાર મુદ્દે ફરી કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા

ભરૂચના વાગરામાં આક્રમક પ્રચાર દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ભ્રષ્ટાચાર મુદ્દે ફરી કોંગ્રેસ પર શાબ્દિક સ્ટ્રાઇક કરી. અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું પરંતુ વિકાસ કરવાને બદલે પોતાના ઘર અને ગજવા ભર્યા. કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એકબીજાના એવા પર્યાય બની ગયા હતા કે ‘કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટલે કોંગ્રેસ’ એવી કહેવત બની ગઇ હતી. કોંગ્રેસે ગુજરાતમાં વિકાસ થવા જ ન દીધો. કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચાર અને ગુંડારાજ એટલા ફૂલ્યાફાલ્યા હતા કે લોકોનું જીવવું મુશ્કેલબ બની ગયું હતું.

 અમિતભાઈ શાહે ભરૂચ તેમજ આસપાસના પંથકમાં ભાજપે કરેલા વિકાસ કાર્યો ગણાવી જણાવ્યું કે ભાજપ સરકારે તાજેતરમાં જ ભરૂચમાં 8 હજાર કરોડના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કર્યું. જે અંતર્ગત ભરૂચ-અંકલેશ્વરને ટ્વિન સિટી તરીકે ડેવલપ કરાશે.

 

(8:09 pm IST)