Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

અમદાવાદના ઘાટલોડિયામાં આપ ના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

ઘાટલોડિયામાં ભાજપના મધ્યસ્થ કાર્યલય પર કેસરિયો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું

અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે ઘાટલોડિયામાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ઘાટલોડિયામાં ભાજપના મધ્યસ્થ કાર્યલય પર કેસરિયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે- પીએમ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોથી પ્રભાવિત થઈને AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

 

(8:10 pm IST)