Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

સુરતમાં પોલીસ સાથે ઝપાઝપી મામલે 'આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી વિરૂદ્ધ આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરાયો

આમ આદમી પાર્ટી અને પોલીસની ટીમ વચ્ચે ઘર્ષણ બાદ સિંગણપોર પોલીસે અનુસૂચિત જાતિને લગતી કહેવતનો ઉપયોગ કરવા બદલ ફરિયાદ

સુરતમાં પોલીસ સાથે ઝપાઝપી મામલે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી વિરૂદ્ધ આચાર સંહિતા ભંગનો ગુનો દાખલ થયો છે. પ્રચાર દરમ્યાન આમ આદમી પાર્ટી અને પોલીસની ટીમ વચ્ચે ઘર્ષણ થયું. જે બાદ સિંગણપોર પોલીસે અનુસૂચિત જાતિને લગતી કહેવતનો ઉપયોગ કરવા બદલ આપના સંગઠન મંત્રી રજનીકાંત વાઘાણી વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરી છે. રજનીકાંત વાઘાણીએ સમગ્ર મામલે ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા પર નિશાન સાધ્યું છે.

 

(8:15 pm IST)