Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

સુરતમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પાટીદારોના ગઢમાં સભાઓ ગજવી શક્તિ પ્રદર્શન યોજશે

સુરતની વરાછા, કતારગામ, કામરેજ અને ઓલપાડ સહિતની બેઠકો પર તમામ પાર્ટીઓનો ઝંઝાવાતી પ્રચાર

સુરતમાં પાટીદારોના વર્ચસ્વ વાળી બેઠકો જીતવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તમામ જોર લગાડ્યું છે.  સત્તા મેળવવા માટે નિર્ણાયક બને તેવી સુરતની વરાછા, કતારગામ, કામરેજ અને ઓલપાડ સહિતની બેઠકો પર તમામ પાર્ટીઓ ઝંઝાવાતી પ્રચાર કરી રહી છે, ત્યારે હવે ફરી એક વખત ભાજપના દિગ્ગજ નેતાઓ પાટીદારોના ગઢમાં સભા ગજવી શક્તિ પ્રદર્શન યોજશે. જે અંતર્ગત કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમભાઈ  રૂપાલા વરાછા અને કતારગામમાં સભા યોજશે. તો સ્મૃતિ ઇરાની પણ કતારગામમાં સભાને સંબોધિત કરશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા યોગી આદિત્યનાથ પણ વરાછામાં મેગા રોડ-શો યોજી ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ્ભાઈ રૂપાલા અને મનસુખભાઇ માંડવીયા સહિતના ભાજપના નેતાઓ પણ પાટીદાર વિસ્તારમાં સભાઓ યોજી ચૂક્યા છે.

 

(8:23 pm IST)