Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

બંધારણમાં આટલા વર્ષો પછી પણ કોઈ સુધારો કરવાની જરૂર પડી નથી:સી.આર.પાટીલ

પ્રદેશ ભાજપ પ્રમુખે કમલમ ખાતે કર્યું ધ્વજવંદન

ગાંધીનગર: દેશ સહિત રાજ્યભરમાં આજે 74માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની આ વર્ષે બોટાદમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ગાંધીનગર ખાતે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધ્વજવંદન કર્યુ હતું. 

તેમણે કહ્યું કે, ડો.બાબા સાહેબ આબેડકરજીએ જે બંધારણ બનાવ્યુ હતું તે આજે પણ સુદ્રઢ રીતે ચાલી રહ્યુ છે તેમાં કોઇ પણ નાનો ફેરફાર કરવાની જરૂર પડી નથી.આજે દેશભરમાં 74માં ગણતંત્ર દિવસને લોકો એક સાથે આનંદ અને ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે. 

ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જેમાં પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું.

(2:03 pm IST)