Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

દેડિયાપાડાના કુકરદા ગામમા પ્રેમ પ્રકરણમાં એક વ્યક્તિ પર હુમલો કરતા સારવાર દરમિયાન મોત : 6 વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :દેડિયાપાડા તાલુકાના કુકરદા ગામે પ્રેમ પ્રકરણ બાબતના ઝગડામાં પ્રેમીને માર મારતા સારવાર દરમિયાન મોત થતા દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયો છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકાના કુકરદા ગામના મકવાણા ફળિયામાં રહેતા શનાભાઈ નરસિંહ ભાઈ તડવી (ઉંમર વર્ષ ૪૫ )ના ઘરે ગામના મહેશભાઈ માનસીગભાઈ તડવીની પત્ની કપિલાબેન સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. શનાભાઈ તડવી અને મહેશભાઈ તડવીની પત્ની કપિલા બેન એક વર્ષ પહેલાં ભાગી પણ ગયા હતા.ત્યાંથી બંને પ્રેમી પંખીડા પાછા કુકરદા ગામે આવી ગયા હતા.ત્યારબાદ કપિલા બેન તેના પતિ મહેશભાઈના ઘરે જતાં રહ્યાં હતાં. તા. ૨૧/૨/ ૨૦૨૧ ના રોજ પ્રેમી શનાભાઈના ઘરે કપિલા બેન ફરી રહેવા આવી ગયા જેથી મહેશભાઈ માનસીગ તડવી, કિરીટભાઈ મહેશભાઈ તડવી, ધમેશ ઉફૅ ધમેન્દ્ર જગદીશ તડવીએ આ વાતનું મન દુઃખ રાખી તા. ૨૩/૨/ ૨૦૨૧ ના રોજ દેડિયાપાડા આવેલા જગદીશ ભાઈ કાલિદાસભાઈ તડવીને કહ્યું કે તારા કાકા મારી પત્નીને ભગાડી ગયેલા છે.અને તેને તમે ક્યાં સંતાડી દીધા છે, તેમ કહી જગદીશભાઈ સાથે ઝગડો કરી માર માર માર્યા બાદ 6 જેટલા વ્યક્તિઓ પૂર્વ આયોજિત કાવતરું રચી મહેશ ભાઈ, કિરીટભાઈ તડવી લોખંડની પરાઈ તથા અન્યોએ લાકડીઓ લઈ મરનાર શનાભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાં ઘુસી તેમનેલોખંડની પરાઈ અને લાકડીઓ વડે માર મારી માથામાં ગંભીર ઈજાઓ કરી જતા રહ્યા હતા ત્યાર બાદ  શનાભાઈને દેડિયાપાડા સરકારી હોસ્પિટલ બાદ રાજપીપલા સિવિલ હોસ્પિટલ બાદ વડોદરા એસ.એસ.જી.ખાતે ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા હત્યાનો ગુનો દાખલ થયો છે.
આ બાબતે સોમીબેન કાલિદાસ તડવી ની ફરિયાદના આધારે હુમલો કરનાર 6 વિરુદ્ધ દેડિયાપાડા પો.સ્ટે.માં ગુનો દાખલ કરતા દેડિયાપાડા પો.સ્ટે.ના પીએસઆઇ અજય ડામોરે તમામ આરોપીઓની અટક કરી છે.

(10:33 pm IST)