Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ગાંધીનગર:રૂપાલમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ 3.58 લાખના દાગીના સહીત રોકડની ઉઠાંતરી કરતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

ગાંધીનગર:શહેર આસપાસ ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે રૃપાલ ગામમાં કનુભાઈના વેરહાઉસ પાસે દંતાણીવાસમાં રહેતા પ્રહલાદભાઈ પશાભાઈ દેવીપુજક કે જેઓ મુંબઈ મ્યુનિ.કોર્પોરેશનમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા હતા અને નિવૃત જીવન ગુજારતા હતા. ગત શુક્રવારે રૃપાલનું મકાન બંધ કરીને તેઓ પરિવાર સાથે મુંબઈ કામઅર્થે ગયા હતા. દરમ્યાનમાં તેમના પાડોશીનો ફોન આવ્યો હતો કે તમારા મકાનના મુખ્ય લોખંડની જાળીનો નકુચો તુટેલો છે. જેથી પ્રહલાદભાઈએ ઘરે આવીને તપાસ કરતા સામાન અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો જેથી ચોરી થયાનો અંદાજ આવ્યો હતો. તેમણે ઘરમાં મુકેલી ત્રણ પતરાની પેટીમાંથી સોનાચાંદીના દાગીના ચોરી થઈ ગયા હતા. આ ઘટના અંગે સે-ર૧ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સ્થળ ઉપર આવીને રૃા.૩.પ૮ લાખના દાગીનાની ચોરીનો ગુનો નોંધીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે.

(5:09 pm IST)