Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

અમદાવાદના શેલા પાસે રેલવેનું ગરનાળું ધસી પડતા ત્રણ શ્રમિક દટાયા : એકનું કરૂણમોત : બે લોકોને ગંભીર ઇજા

ગરનાળાનું લોખંડનું સ્ટ્રક્ચર એકાએક ધરાશાયી થતા તંત્રમાં દોડધામ

અમદાવાદના શેલા પાસે લોખંડનું સ્ટ્રક્ચર ઘસી પડતા ત્રણ જેટલા શ્રમિકો દટાયાહતા જેમાથી એકનું મોત થયું છે જયારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર માટે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

 આ બનાવની મળતી માહિતી મુજબ શેલા પાસે રેલવે ગરનાળાનું કામ ચાલી રહ્યું છે અને લોખંડનું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું હતું, જો કે, સ્ટ્રકચર એકાએક ધરાશાયી થતા ત્રણ જેટલા મજૂરો દટાયા છે. આ બનાવીની જાણ આસપાસના ગ્રામજનોને થતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. ત્યાર બાદ તંત્ર અને ગ્રામજનો દ્વારા બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી હતી, અને બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જો કે, આ ઘટનાની માહિતી ગ્રામજનો દ્વારા તંત્રને આપતા તંત્રમાં ભારે ભાગદોડ જોવા મળી રહી છે

(7:16 pm IST)