Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

નર્મદા જિલ્લામાં રવિવારે ૩૩ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૯૭૧ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે ૩૩ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં દરબાર રોડ ૦૧, ગુજરાત હાઉસિંગ ૦૧, અર્બન હેલ્થ સેન્ટર ૦૧ તથા નાદોદ તાલુકામાં નાવરા ૦૧, રામાનંદ આશ્રમ ૦૧, વડીયા ૦૨, વાવડી ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં ઓરપા ૦૧, નાઘાતપુર ૦૧ , ગરુડેશ્વર ૦૧, ગોરા ૦૧, કેવડિયા ૦૧, જેતપુર ૦૧, ટીમરવા ૦૧, મોટા પીપરીયા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં જલોદરા ૦૨, કનાડલેજ ૦૧, નમારીયા ૦૧, રાતુડીયા ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં ખરચીપાડા ૦૧, જામ્બાર ૦૧, ખરડીપાડા ૦૧, પાટડી ૦૧, રેલવા ૦૧ તથા સાગબારા તાલુકામાં મોટી દેવરુપણ ૦૧, નાની દેવરુપણ ૦૧, સાગબારા ૦૧, રાણીપુર ૦૧, સેલંબા ૦૧, બોરડીફળી ૦૧, પાટલામહુ ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૩૩ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૫૮ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૧ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૪૩ દર્દી દાખલ છે, આજે ૪૨ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૬૮૪ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૯૭૧ પર પહોચ્યો છે.આજે વધુ ૧૫૧૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે

(9:25 am IST)