Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ગુજરાતનાં પૂર્વ આઈએએસ સંજય ગુપ્તાનું કોરોનાથી નિધન : લખનૌની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

સંજય ગુપ્તાને લખનઉની પીજીઆઇ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી દાખલ કરાયા હતા

અમદાવાદ : કોરોનાથી ગુજરાતમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ IAS અધિકારી અને IITRAA અમદાવાદના આજીવન સભ્ય સંજય ગુપ્તાનું લખનૌમાં નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા અને હોસ્પિટલમાં દાખલ હતા.

સંજય ગુપ્તાને લખનઉની પીજીઆઇ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી દાખલ કરવામાં આવ્યાં હતા. કોરોનાની સારવાર દરમિયાન ગઇ કાલે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

 
(7:45 pm IST)