Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

૧૦૮ માં આવતા દર્દી અને બીજા કોઈ પણ રીતે આવતા કોરોના દર્દી વચ્ચે ભેદ ન હોવો જોઇએ : રાજ્યસભા સાંસદ અને રિલાયન્સના પરિમલભાઈ નથવાણીનું માનવતાભર્યુ ટ્વિટ

આજના જીએમડીસી ગ્રાઉન્ડમાં તાજેતરમાં ગૃહ મંત્રીશ્રીના હસ્તે શરૂ થયેલ ૮૦૦ બેડની હોસ્પિટલમાં ફકત ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ લાવવામાં આવેલ દર્દીને જ સારવાર માટે દાખલ થવા મુદ્દે આંધ્રના રાજ્યસભાના સભ્યશ્રીએ સવાલ ઉઠાવ્યા છે. માત્ર ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ નહીં પરંતુ કોઇપણ વાહનમાં આવેલ કોરોના દર્દીને સારવાર મળે તે માટે દાખલ કરવામા આવે એવી લાગણી ખંભાળિયાના વતની અને રિલાયન્સને દિગગજ શ્રી  પરિમલભાઈ નથવાણીએ દર્શાવી છે .

(4:38 pm IST)