Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક કેસ સાથે અત્યાર સુધીમાં સૌથી વધુ 7727 દર્દીઓ સ્વસ્થ થયા : વધુ 14,340 કેસ નોંધાયા :158 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 6486 થયો : કુલ 3.82.426 લોકોએ કોરોનાને હરાવ્યો : વધુ 1.59.093 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 5679 કેસ, સુરતમાં 1876 કેસ, વડોદરામાં 706 કેસ, રાજકોટમાં 598 કેસ, જામનગરમાં 668 કેસ, ભાવનગરમાં 536 કેસ, મહેસાણામાં 531 કેસ, ગાંધીનગરમાં 343 કેસ, બનાસકાંઠામાં 297 કેસ, જૂનાગઢમાં 159 કેસ, દાહોદમાં 250 કેસ, કચ્છમાં 232 કેસ, પાટણમાં 230 કેસ, સુરેન્દ્રનગરમાં 199 કેસ, પંચમહાલમાં 176 કેસ, સાબરકાંઠામાં 161 કેસ, અમરેલીમાં 158 કેસ, મહીસાગરમાં 157 કેસ, તાપીમાં 156 કેસ, ખેડામાં 149 કેસ, ભરૂચમાં 135 કેસ, નવસારીમાં 125 કેસ, ગીર સોમનાથમાં 121 કેસ, વલસાડમાં 118 કેસ, આણંદમાં 92 કેસ, રવલ્લીમાં 77 કેસ, મોરબીમાં 66 કેસ, છોટા ઉદેપુરમાં 58 કેસ, દેવભૂમિ દ્વારકામાં 52 કેસ, પોરબંદરમાં 51 કેસ નોંધાયા : હાલમાં 1,21,461 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ આજે સૌથી વધુ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે રાજ્યમાં પહેલીવાર  આજે રાજ્યમાં 14,340 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 7727 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા રેકોર્ડબ્રેક 14,340 કેસ નોંધાયા છે જયારે વધુ  7727 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ  3,82,426 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 158 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 6486 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 74.93 ટકા  થયો છે

     રાજ્યમાં હાલ 1,21,461 એક્ટિવ કેસ છે, જેમાંથી 412 લોકો વેન્ટિલેટર પર અને 1.21.049 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3,82.426 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 94,35,424 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 20,19,205 લોકોને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 1,14,54,628 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી  કુલ 64,551 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 83,135 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 14,340 કેસમાં અમદાવાદમાં 5679 કેસ,સુરતમાં 1876 કેસ,વડોદરામાં 706 કેસ, રાજકોટમાં 598 કેસ, જામનગરમાં 668 કેસ, ભાવનગરમાં 536 કેસ, મહેસાણામાં 531 કેસ,ગાંધીનગરમાં 343 કેસ, બનાસકાંઠામાં 297 કેસ,જૂનાગઢમાં 159 કેસ, દાહોદમાં 250 કેસ, કચ્છમાં 232 કેસ, પાટણમાં 230 કેસ, સુરેન્દ્રનગરમાં 199 કેસ, પંચમહાલમાં 176 કેસ, સાબરકાંઠામાં 161 કેસ, અમરેલીમાં 158 કેસ, મહીસાગરમાં 157 કેસ, તાપીમાં 156 કેસ, ખેડામાં 149 કેસ, ભરૂચમાં 135 કેસ, નવસારીમાં 125 કેસ, ગીર સોમનાથમાં 121 કેસ,વલસાડમાં 118 કેસ, આણંદમાં 92 કેસ, રવલ્લીમાં 77 કેસ, મોરબીમાં 66 કેસ, છોટા ઉદેપુરમાં 58 કેસ, દેવભૂમિ દ્વારકામાં 52 કેસ, પોરબંદરમાં 51 કેસ નોંધાયા છે 

(8:28 pm IST)